શિવ ભક્તિ એટલે પ્રકૃતિ પ્રેમ
વેદમાં ભગવાન શિવજીના વિરાટ,વ્યાપક,શક્તિ અને મહિમાનું વર્ણન મળે છે.અનાદિ,અનંત,જગતના રચનાકારક,સ્થિતી અને સંહારક એવી ભગવાન શિવજીની સ્તુતિ છે. શિવ સત્ય સ્વરૂપે સુંદર પ્રકૃતિમા છે.સત્યમ શિવમ સુંદર. શિવનો અર્થ કલ્યાણ કારી. જગતના જીવોનું કલ્યાણ પ્રકૃતિ સાથે જોડાયેલું છે. પંચ તત્વ જળ,વાયુ,આકાશ, અગ્નિ અને પૃથ્વી પ્રકૃતિન મૂળ છે. મનુષ્ય દેહ આ પાંચ તત્વથી બન્યો છે. જગતના દરેક જીવોનું કલ્યાણ પ્રકૃતિના મૂળમા છે.જો આ પાંચ તત્વ અસંતુલિત થાય તો સમગ્ર સંસારમા અસંતુલન ઉત્પન્ન થાય છે.આમ શિવ વગર દરેક જીવ શબ સમાન છે.ભગવાન શિવજીની આરાધના નિરાકાર અને સાકાર બંને સ્વરૂપે કરવાનો મહિમા છે. પ્રકૃતિ અને શિવ એક બીજાના પર્યાય છે. શિવ પરિવારના દર્શન કરીયે તો શિવ પાર્વતી માતા પિતા રૂપે છે.ગણેશ અને કાર્તિકેય પુત્ર છે.શિવનુ વાહન નંદી છે.પાર્વતીનુ વાહન સિંહ છે.ગણેશનું વાહન મૂષક તો કાર્તિકેયનો મોર વાહન છે.શિવજીના ગળામા સર્પ માળા છે.આમ સુંદર મોર અને ઝેરીલો સર્પ.વિશાળ નંદી અને નાનો મૂષક.શક્તિશાળી સિંહ.આ પ્રાકૃતિક જીવોમા શત્રુતા હોય છે.પણ શિવ પરિવારમા પૂજનીય છે.માનવ જાતને પ્રાકૃતિક જીવો તરફ સંવેદના રાખવાનો ભાવ શીખવે છે. શિવ