ચલે વાતે ચલે ચિત્તે
જ્યારે આપણે કોઇ ઉપાધી કે સમસ્યાઓથી પરેશાન થઈ છીએતો આપણને સતત એમ લાગે છે કે કાશ કોઇ ચમત્કાર થઇ જાય અને આપણે સમસ્યા મુક્ત થઈએ.પણ એવું કાઈ ઇચ્છવા છતાંય થતું નથી. આપણે પાછા પડીએ છીએ. હતાશા અને નિરાશા આપણને ઘેરી વળે છે.કહેવાય છે ને સંસાર છે આ બધું તો જોવાનું જ છે. દુનિયામે હમ આયે હૈ તો જીના હી પડેગા,જીવન હૈ અગર ઝહર તો પીના હી પડેગા. આપણે મહાદેવ નથી કે સંસારની સમસ્યાઓ ઘોળીને પી શકાય. હા,પણ જ્યારે જીવનમાં તમામ દરવાજા બંધ થઇ જાય છે ત્યારે ભગવાન કાંઈક એવું કરે છે કે એક નવો દરવાજો ખૂલી જાય છે. આવી પરિસ્થિતિમાં નાની એવી આશાનું કિરણ ઉજવાસ પાથરે છે.આજકાલ ચિંતા અને હતાશા,સૌથી વધુ વ્યાપક છે.જેને કારણે માણસની કાર્યક્ષમતા અને આવરદામાં ઘટાડો થાયછે માનસિક અશાંતિ,તાણ,ભાગદોડ અને બાળકો તેમજ યુવાનોમાં વધતી જતી સ્પર્ધાત્મક ભાવનાથી સતત અસુરક્ષાની લાગણીઓ ઘેરી વળે છે. આપણા દૂરદ્રષ્ટા ઋષિમુનીઓ અને સંતો, માનવજાતને માનસિક અને શારીરિક સ્વસ્થતા મેળવવા માટેનું સચોટ માર્ગદર્શન આપી ગયા છે .મહર્ષિ પતંજલિએ યોગના આઠ અંગો આઠ પગથિયાં તરીકે વર્ણવ્યા છે.દરેક પગથિયાંનું મહત્વ છે.જો કે આજે અનેક યોગ શિબિરોમાં પૂરતા જ્ઞાન વગર...