Posts

Showing posts from December, 2018

ગીતાદર્શન

Image
                                        એક ચિંતકે કહ્યું છે: જેટલાં યુધ્ધો પૃથ્વી,સમુદ્ર કે આકાશમાં નથી લડાતાં,એનાથી વધુ વિશ્વના દરેક માનવીના મનમાં પ્રત્યેક ક્ષણે લડાતાં હોય છે.અને જીવનની ખુવારી કરતા હોય છે.આ પૃથ્વી પર સર્વત્ર અશાંતિ છે. દેશની સીમા પર કે દેશની અંદર,શ્રીમંત કે ગરીબ,ભણેલા કે અભણ,નેતા કે પ્રજા, કેવળ અશાંત અને અસ્વસ્થ છે.રધવાટ,ભય,ઉદાસીના ઓથાર નીચે અમૂલ્ય માનવ જીવન મૂલ્યહીન થવા લાગ્યું છે.મનુષ્ય મનની માંદગીથી મુક્ત થવા આનંદપ્રમોદના સાધન સતત શોધતો રહે છે.પણ નાકામયાબ રહે છે. અંતે નિરાશા,હતાશ અને વિહ્વળતા મળે છે. મનોવિજ્ઞાનનું મહત્વ વધી ગયું છે.,યુવાવર્ગ, વૃધ્ધો કે બાળકો બધાને માટે મનોચિકિત્સકોની બોલબાલા છે.સંશોધનો ઉભરાય છે છતાંય સવાલોના જવાબ નથી મળતા. અધુરામાંપુરું બાબાઓ,તાંત્રિકો,જ્યોતિષો,ઉપદેશકોની ભરમાર.શાંતિની ખોજમાં લુંટફાટ ચાલે છે. શાંતિયજ્ઞો થાય છે.શાંતિ માટે પ્રાણાયમ,ય...