Posts

Showing posts from September, 2020

હિંદુ પરંપરા અને વિજ્ઞાન

Image
ભારતના દરેક રાજ્યમાં પરંપરા અને પ્રણાલીઓમાં વિવિધતા જોવા મળે છે.આ પરંપરા અને પ્રણાલીઓ ઋષિમુનિઓના ઉત્કૃષ્ટ વિચારો છે.આ ઉત્કૃષ્ટ વિચારોનો આધાર વૈજ્ઞાનિક સિદ્ધાંતો સાથે જોડાયેેલો છે. પણ આપણા આધુનિક થવાના આંધળા અનુુુુકરણને કારણે આ પરંપરાઓને અંધશ્રદ્ધા અને વહેમનું લેબલ લાગી ગયું.આપણે જ આપણી પરંપરાની હાંસી ઉડાવતા થઇ ગયા.જ્યારે વિજ્ઞાને જગત સમક્ષ આ જ પરંપરાને સત્ય સાબીત કરી ત્યારે ફરી અપનાવવાની દોડા દોડ કરીએ છીએ. હવે આ બધી પરંપરાઓનું વ્યાપારીકરણ કરી આપણી સમક્ષ મૂકાય છે.દા.ત. સુર્ય નમસ્કાર અને વ્યાયમ.આ શીખવાના વર્ગો ચાલુ થઇ ગયા છે.જે ઋષિમુનિઓએ મફતમાં આપ્યું હતું એના નાણાં ચૂકવવા પડે છે આ જૂની આત્મસુઝ પાછળ વૈજ્ઞાનિક કારણો છે.આપણે અવળચંડાઇ કરશું એટલે આ બધા ઉપાયો ધર્મ સાથે જોડ્યા છે.ધર્મ માન્યતાને આધારે છે અને વિજ્ઞાન પુરાવાના આધારે.બંને એક જ રથના પૈંડા છે પણ ધર્મના પૈંડાની ઉપેક્ષા થવા લાગી અને પરિણામે સ્વાસ્થ્ય પર અસર થઇ.નીતીનિયમોને નેવે મૂકી સમાજ મુક્ત જીવન જીવવા લાગ્યો. ફરી સાબિત થયું છે કે ધર્મ અને વિજ્ઞાનના કાર્ય ક્ષેત્ર અલગ છે પણ અંતિમ ધ્યેય એક જ છે.આપણે માનીએ કે ન માનીએ આપણી દરેક રીત અને પ...