ગણપતિ સંપ્રદાય
હિંદુ ધર્મમાં સંપ્રદાયો વેદોમાંથી સ્થાપિત થયા છે.વેદોમા ઇશ્વર, પરમેશ્વર, બ્રહ્મને સર્વોચ્ચ શક્તિ તરીકે વર્ણવવામાં આવ્યા છે.દરેક સંપ્રદાય મૂળ સર્વોચ્ચ શક્તિનું જ વર્ણન કરે છે. સંપ્રદાય એટલે આધ્યાત્મિક માર્ગ.કોઇ એક વિચારધારાને અનુસરવાનો માર્ગ. ઉપાસ્ય દેવતા સર્વ શ્રેષ્ઠ છે એમ માનવું.વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લયમાં ઉપાસ્ય દેવતા છે એમ શ્રદ્ધા પૂર્વક આસ્થા રાખી ઉપાસના કરવી. હિંદુ ધર્મમાં પાંચ મુખ્ય સંપ્રદાય છે.શૈવ શિવ ઉપાસક,વૈષ્ણવ વિષ્ણુ ઉપાસક,શાક્ત દેવી કે શક્તિ ઉપાસક,સૌર એટલે સૂર્ય ઉપાસક અને ગાણપત્ય એટલે ગણપતિ ઉપાસક.સૌર સંપ્રદાય સમય જતાં વિષ્ણુ પૂજા સાથે ભળી ગયો છે. દરેક સંપ્રદાયમાં ગણેશ પૂજન થાય છે.શૈવ સંપ્રદાયમાં ગણ તરીકે, વૈષ્ણવ સંપ્રદાયમાં વસુદેવ તરીકે,શાક્ત સંપ્રદાયમાં શક્તિ ગણપતિ અને લક્ષ્મી ગણપતિ એમ સ્ત્રી સ્વરૂપે ગણપતિની આરાધના કરવામાં આવે છે. સંપ્રદાય એટલે આધ્યાત્મિક માર્ગ.કોઇ એક વિચારધારાને અનુસરવાનો માર્ગ.હિંદુ ધર્મમાં પાંચ મુખ્ય સંપ્રદાય છે. શૈવ શિવ ઉપાસક,વૈષ્ણવ વિષ્ણુ ઉપાસક,શાક્ત દેવી કે શક્તિ ઉપાસક,સૌર એટલે સૂર્ય ઉપાસક અને ગાણપત્ય એટલે ગણપતિ ઉપાસક. પાર્વતીના પુત્ર શ્ર...