Posts

Showing posts from July, 2023

ગુરુ સ્તોત્ર.

Image
ભારતીય સંસ્કૃતિમાં અનેક વિશેષતાઓ છે.જેમા એક છે અનન્ય ગુરુ શિષ્ય પરંપરા.જીવનના દરેક ક્ષેત્રમાં પથદર્શક જરૂરી છે. ગુરુ ચાણક્યે ચંદ્રગુપ્તન જેવો શિષ્ય આપ્યો.મહાભારતના યુદ્ધ વખતે નિરાશ થયેલા અર્જુનને ગીતા સંભળાવી અધર્મ અને અન્યાય સામે લડવા તૈયાર કર્યો.આજે પણ શ્રી કૃષ્ણ ભગવાનની શ્રીગીતા પથદર્શક છે. કૃષ્ણમ્ વંદે જગત ગુરુ. રામકૃષ્ણ પરમહંસના માર્ગદર્શનથી સ્વામી વિવેકાનંદ ભારત દેશનું નામ વિશ્વમાં ઉજવલ્લ કરી શક્યા. બાળકના જીવનની શરૂઆત માતા સમાન ગુરુથી થાય છે. ઇશ્વરે માનું સર્જન કર્યું છે એમ પથદર્શક તરીકે ગુરુનું સર્જન કર્યું છે.આજે સમય ઘણો બદલાઈ ગયો છે.પ્રાચીન ગુરુ શિષ્ય પરંપરા જોવા નથી મળતી. સંગીત અને નૃત્યના ક્ષેત્રમાં ગુરુ શિષ્ય પરંપરા આજે પણ જોવા મળે છે.રમત ગમત ક્ષેત્રમાં સારા કોચ ગુરુ સમાન હોય છે.ગુરૂ કાલે પથદર્શક હતા અને આજે પણ પથ દર્શક છે. આપણી સંસ્કૃતિમાં અનેક તહેવારો આવે છે જે આપણે શ્રદ્ધા પૂર્વક ઊજવીએ છીએ.આવો જ એક તહેવાર ગુરુના ઋણને અદા કરવાનો છે  ગુરુ પૂર્ણિમા પર્વ અષાઢ સુદ પૂનમ પર આવે છે. વેદ વ્યાસજીના જન્મ થયો હોવાથી વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે.આ દિવસે ગુરુ પૂજા કરવામાં આવે છે. ...