Posts

Showing posts from December, 2021

હનુમાનજીના ૧૨ નામનું મહત્વ

Image
                           ભગવાન શિવજીના રુદ્ર અવતાર હનુમાનજી કળીયુગમાં પ્રભાવશાળી અને ચિરંજીવી દેવ કહેવાય છે.ભગવાન શ્રીરામચંદ્ર ના આશીર્વાદથી ભક્તોના દુઃખ હર્તા શ્રીહનુમાનજી ઉચ્ચ ભક્તિ નું પ્રતિક છે.શ્રી હનુમાનજી સર્વોત્કૃષ્ટ તત્વમય છે કારણ કે દરેક ઇંદ્રિયો પર વિજય મેળવ્યો છે.આ ગુણોને કારણે શક્તિ અને બળ પ્રદાન કરનાર દેવ છે.શ્રીહનુમાનજીને અષ્ટ સિદ્ધિ નવ નિધિના આશિષ માતા સીતાએ આપ્યા છે.  સિદ્ધ નવ નિધિ શક્તિ માતા જ આપી શકે.અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા. ભારતભરમાં દરેક સ્થળે શ્રીહનુમાનજીના મંદિર છે અને હનુમાન ચાલીસા શ્રદ્ધાથી કરવામાં આવે છે.મંગળવાર અને શનીવારે અનેક સ્થળોએ હનુમાન ચાલીસાના પાઠ સમુહમાં કરવામાં આવે છે.સાથે હનુમાન અષ્ટક સ્તોત્રનો અને બજરંગ બાણની સ્તુતિ થાય છે.શ્રીહનુમાનજીનુ મહાત્મ્ય ઘણું મોટું છે. શાસ્ત્રો અનુસાર કળીયુગમાં જીવંત દેવ હનુમાનજી મહાકાવ્ય રામાયણમાં રામ ભક્ત અને મહાભારતના યુધ્ધમાં અર્જુનનાં રથ પર બિરાજમાન દેખાય છે. શ્રીહનુમાનજીના ૧૨ નામ તેમના ગુણગાન અને કાર્યને વ્યક્ત કરે છે.સવારે ઉઠતાં જ આ નામો...

નવ ગ્રહ અને ભગવાન વિષ્ણુના નવ અવતાર

Image
  ઋષિ પરાશર ભારતીય ઋષિ પરંપરાના મહાન ઋષિ હતા.પોતાના તપોબળથી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી.મહાભારતના રચયિતા વેદવ્યાસના પિતા ઋષિ પરાશરે અનેક ગ્રંથોની રચના કરી છે.મહત્વપૂર્ણ ગ્રંથોમાં બૃહત પરાશર હોરા શાસ્ત્ર છે જે આજે પણ જ્યોતિષ જગતમાં ઉપયોગી છે. ग्रहाधिनं जगत्सर्वं ग्रहाधिना: नरावरा: | कालज्ञानं ग्रहाधिनं ग्रहा: कर्मफ़लप्रदा: || ગ્રહોને આધીન જ આ આખો સંપૂર્ણ સંસાર છે. ગ્રહોને આધીન જ સર્વ શ્રેષ્ઠ મનુષ્યો હોય છે. કાળ નું જ્ઞાન તથા ફળ આપનાર ગ્રહો જ હોય છે._બ્રહસ્પતિ સંહિતા. જ્યોતિષ શાસ્ત્રના માર્ગદર્શન દ્રારા શ્રેષ્ઠ ફળ મેળવી શકાય છે.  બૃહત હોરા શાસ્ત્રમાં નવ ગ્રહોનું વર્ણન ભગવાન વિષ્ણુના નવ અવતાર સાથે કર્યું છે. સુર્ય. રામ અવતાર. ત્રેતાયુગમાં શ્રી રામચંદ્રજીએ એક આદર્શ રાજા તરકે રામ રાજ્ય ની સ્થાપના કરી હતી.રામાયણ ગ્રંથમાં મર્યાદા પુરુષોત્તમ રામ થયા.રાવણનો વધ કરનાર શ્રીરામનો અર્થ પ્રકાશ આપનાર છે.શ્રીરામની ભક્તિ અંતર મનમાં પ્રાણ સીંચે છે.માનસિક આને શારીરિક ઉર્જા પ્રાપ્ત કરવા સુર્યની આરાધના કરી શકાય છે. અગસ્ત્ય ઋષિએ આદિત્ય હ્રદય સ્તોત્ર શ્રીરામચંદ્રજીને રાવણ સાથેના યુધ્ધમાં વિજય મેળવવા ...