ગણપતિના ૩૨ સ્વરૂપ એક જ મંદિરમા સ્થાપત્ય
ભારતભરમા ગણપતિજીના અનેક પ્રસિદ્ધ મંદિરો અને અનેક સ્વરૂપ જોવા મળે છે. મુંબઈના સિદ્ધી વિનાયક અને મહારાષ્ટ્રમા આવેલી અષ્ટ વિનાયક યાત્રા ભારતમા પ્રચલિત છે.અષ્ટ વિનાયક યાત્રામા શ્રી ગણપતિના અલગ અલગ આઠ સ્વરૂપોના દર્શન થાય છે.આ મંદિરો અલગ અલગ સ્થળે છે.પુરાણોમા ગણપતિના અનેક નામોનો ઉલ્લેખ છે. શ્રીગણપતિના ૩૨ સ્વરૂપ અને નામોનો ઉલ્લેખ મુદગલ પુરાણ અને ગણેશ પુરાણ મળે છે. કર્ણાટકના પ્રસિદ્ધ મંદિરમા શ્રીગણપતિના ૩૨ અલગ અલગ નામો અને સ્વરૂપોના દર્શન થાય છે.ભારતભરમા આ એકમાત્ર સ્થાન છે.આ મંદિરની વાસ્તુ કળા અને સ્થાપત્ય કળા અદભુત છે.મૈસુર નજીક નંજનગુડ મહાદેવ મંદિરમા દેવી દેવતાની ૧૦૦થી પણ વધુ પ્રતિમાઓ છે. આ મંદિર શ્રીકાન્તેંશ્વર મહાદેવ નામથી જાણીતુ છે. આ મંદિર કપિલ નદી કિનારે છે.કપિલ નદી કાવેરી નદીની સહાયક નદી છે.સહાયક નદી ક્યારેય સાગરમા ભળતી નથી.મુખ્ય નદીમા ભળી જાય છે અને મુખ્ય નદીના નીર સાગરમા જાય છે. આ સ્થળ દક્ષિણ પ્રયાગ કહેવાય છે. કન્નડ ભાષામા નંજુ એટલે વિષ.નંજુનદેશ્વર મહાદેવ એટલે વિષ ધારણ કરનાર મહાદેવ. શ્રીગણપતિ પ્રકૃતિની શક્તિના સ્વરૂપ કહેવાય છે.ત્રિદેવ બ્રહ્મા,વિષ્ણુ અને ...