Posts

Showing posts from 2019

મહારાષ્ટ્રનો દશેરા ઉત્સવ શિલંગણ સોનપત્તા સાથે

Image
દશેરા પહેલાના નવ દિવસોમા નવરાત્રીમાં માતાજીની શક્તિપુજા કરાય છે.દશમીને દિવસે દસે દસ દિશાઓમાં શક્તિનું નિયંત્રણ હોય છે અર્થાત દસે  દસ દિશાઓ  પર વિજય પ્રાપ્ત થાય છે.તેથી દશેરા.વિજયાદશમી કહેવાય છે. દશેરાનો ઉત્સવ ભારતમાં દરેક રાજ્યમાં અલગ અલગ રીતે ઉજવાય છે.આમ તો રાવણ દહન બધે કરાય છે.દશેરા સંસ્કૃત શબ્દ દશા અને હારાથી બન્યો છે.એટલે સૂર્યની હાર.જો રાવણ નો વધ ભગવાનરામે ના કર્યો હોત તો સૂર્ય હંમેશા અસ્ત થઇ જાત.ભગવાનરામે  રાવણનો વધ દશેરાને દિવસે કર્યો હતો.એટલે વિજયાદશમી ઉજવાય છે.મા દુર્ગાએ મહિષાસુરઇનો વધ દશમીના કર્યો એટલે વિજયાદશમી. મહારાષ્ટ્રમાં એકબીજા ને સોનપત્તા આપવાનો પ્રતિકાત્મક રિવાજ છે.ગુજરાતીમાં અપ્તાવૃક્ષ કહેવાય છે. હિન્દીમાં કઠમુલી,સંસ્કૃતમાં યમલપત્રક કહે છે. આ વનસ્પતિનો ઔષધિ તરીકે પણ ઉપયોગ થાય છે.અસ્થમા,બેકટેરીયા અને ફંગસથી થતા રોગો,ડાયેબીટીસ જેવી બિમારીઓ માટે ઔષધિમા આ પાન અને તેના વૃક્ષની ડાળખીઓ ઉપયોગી છે.આ વનસ્પતિને બૌહિનીયા રેસમોસા કહે છે.ગાયના પગના આંગળીઓ જેવો આકાર હોય છે.આજે તો અલ્પ પ્રાપ્ય છે.    મહારાષ્ટ્રના ગામોમાં આ સામાજિક ઉત્સ...

દુર્ગાપૂજા ઉત્સવનો ઈતિહાસ અને શરુઆત

Image
ખલિલ જીબ્રાને કહ્યું છે,'દરેક ઘરમાં ઇશ્વરે પોતાની જગ્યા પૂરવા માનું સર્જન કર્યું છે.' માનાં અનેક સ્વરૂપો છે.મા દુર્ગા,મા લક્ષ્મી,મા સરસ્વતી.શક્તિ સંહાર પણ કરે અને સર્જન પણ કરે છે.શક્તિનો ક્યારેય નાશ નથી થતો.આ જગતની નારીમાં શક્તિ સ્વરુપ અલગ અલગ રીતે જોવા મળે છે.આપણી ભારતીય સંસ્કૃતિમાં દેવતાઓ કરતા દેવીમાતાને અધિક મહત્વ અપાય છે.આ દેવીપૂજામાં દુર્ગાશક્તિનુ મહાત્મય વધુ છે.કારણકે દુર્ગાશક્તિની ઉપાસના કરીને સંસારની સમગ્ર શક્તિ પ્રાપ્ત કરી શકાય છે.દુર્ગાપૂજાના રુપે આપણે સમસ્ત સ્ત્રી શક્તિની ઉપાસના કરતા હોઇએ છે. દુર્ગાપૂજાનુ ફક્ત ધાર્મિક જ મહત્વ નથી..આધ્યાત્મિક,સાંસ્કૃતિક અને સાંસારિક મહત્વ પણ છે.દરેક પર્વનું મહત્વ છે.જીવનમાં આનંદ અને ઉત્સાહ લાવનાર પર્વો નવી ઉર્જાનો સંચાર કરે છે.દુર્ગાપૂજા આવો જ શક્તિ પ્રદાન કરતો તહેવાર છે. દુર્ગા એટલે દુર્ગતિને પાર કરનારી શક્તિ.આપણુ શરીર દુર્ગ છે અને એમાં અમોધ શક્તિ છુપાયેલી છે જેની ક્યારેક આપણને જ ખબર નથી હોતી અને બીનજરુરીય પ્રવૃતિમાં ખર્ચી નાંખીએ છે.સ્વસ્થ શરીર સ્વસ્થ મગજ શક્તિ આપે છે. સારા કાર્યો કરવાની બુદ્ધિ આપે છે.જેવી રીતે દેવી દુર્ગાએ બ્ર...

પિતૃપક્ષ શ્રાદ્ધ

Image
                                                     શાસ્ત્રો અનુસાર માનવીના મૃત્યુ પછી  એનુ શરીર જે સ્થુળ શરીર કહેવાય છે જે અંતયેષ્ટી કરીને બાળી દેવાય છે.આ કાર્યથી જીવાત્માને સ્થુળ શરીરથી મુક્તિ મળી જાય છે.પણ લીંગ શરીર જે સૂક્ષ્મ શરીર હોય છે,જેને ગતિ કરવા માધ્યમ જરુરી છે.મુક્ત શરીર સ્મશાનમાં પ્રેતાત્મા રુપે અતૃત્પ રહે છે કારણકે આ પ્રેતાત્મને શરીર નથી હોતું . મત્યુ પછી સ્વજનો દ્રારા કરતા ક્રિયાકરમ જીવને શાંતિ અને મુક્તિ આપે છે. સ્થુળ અને સુક્ષ્મ શરીરમાંથી મુક્ત થઇ પિતૃલોક તરફ ગતિ કરે છે.ત્યાર પછી દર વરસે શ્રાદ્ધ કરીને પૂર્વજોને યાદ કરાય છે. હિંદુ ધર્મ પ્રમાણે ત્રણ પ્રકારના ૠણહોય છે.દેવ ૠણ,ૠષિૠણ અને પિતૃૠણ.પિતૃૠણમાંથી મુક્ત થવા શ્રાદ્ધ કરવામાં આવે છે. એક માન્યતા પ્રમાણે આ સમય દરમ્યાન દેવો પોઢીજાય છે,અને પિતૃઓને દેવ...

મન કે નૈન હજાર

Image
                        प्राणी अपने प्रभु से पूछे किस विधी पाऊँ तोहे प्रभु कहे तु मन को पा ले, पा जयेगा मोहे तोरा मन दर्पण कहलाये भले बुरे सारे कर्मों को, देखे और दिखाये तोरा मन दर्पण कहलाये मन ही देवता, मन ही ईश्वर, मन से बड़ा न कोय मन उजियारा जब जब फैले, जग उजियारा होय इस उजले दर्पण पे प्राणी, धूल न जमने पाये तोरा मन दर्पण कहलाये सुख की कलियाँ, दुख के कांटे, मन सबका आधार मन से कोई बात छुपे ना, मन के नैन हज़ार जग से चाहे भाग लो कोई, मन से भाग न पाये तोरा मन दर्पण कहलाये तन की दौलत ढलती छाया मन का धन अनमोल तन के कारण मन के धन को मत माटि मेइन रौंद मन की क़दर भुलानेवाला वीराँ जनम गवाये तोरा मन दर्पण कहलाये આ રચના મન વિશે કેટલું સુંદર આધ્યાત્મિક વર્ણન કરે છે.આપણે મનને માંકડુ કહીએ છે. પણ એવું નથી આપણી ઇચ્છાઓની વણઝાર સતત ગતિ કરે છે.એટલે વારંવાર બદલાવ આવ્યા કરે છે.આપણા કર્મોની ચાલે ચાલ્યા કરે છે.મન આપણને ઘણું બધું આપે છે.મનનું સનમાન કરશો તો સારા કર્મો કરાવશે.આપણી સમક્ષ આપણા જ મનના અરીસામાં મનગમતું ચિત્ર પ્રસત...

કૃષ્ણોપનિષદ

Image
                  જયારે  ધર્મનો હ્ર્રાસ થાય છે અનેઅધર્મ નું અભ્યુથાન થાય છે, ત્યારે ત્યારે ભગવાન સજ્જનો ની રક્ષા કરવા માટે ધર્મની સ્થાપના કરવા માટે, દુષ્ટોનો નાશ કરવા માટે યુગે યુગે જન્મ લે છે.ભગવાનના અવતારોનું મુખ્ય પ્રયોજન ગીતામાં બતાવ્યું છે. ઉપનિષદકાળ ના પૂર્વે વૈદિક યુગ હતો જેને સાંસારિક આનંદ અને ઉપભોગનો યુગ કહેવાતો. આ કાળમાં પ્રજા કોઈ કાર્ય કે કોઈ માન્યતાના  દબાવમાં નહતી .જેથી પ્રજા પવિત્ર અને સરળ હતી.અને સહજપણે જીવન વ્યતીત કરવામાં આવતું.સમય સાથે પ્રજામાં જાગૃતિ આવી અને મસ્તિષ્કમાં જીજ્ઞાસા સાથે પ્રશ્નો આવવા લાગ્યા. ધીરે ધીરે વૈદિક યુગ નો અંત થયો.અને ઉપનિષદકાળ નો આરંભ થયો. પ્રજા મનન ચિંતન કરવા લાગી.જીવનને સુખી કરવા,સફળ અને સંપન્ન થવા દેવતાઓને પ્રસન્ન કરવા અતિઆવશ્યક છે.યજ્ઞ કરવા આવશ્યક છે.એવી વિચારધારા અસતિત્વમાં આવી.પરિણામરુપે ધીરે ધીરે ધર્મગ્રંથો ના નિર્માણ થયા. જો કે ઉપનિષદની રચના ક્યારે થઇ એ વિષયમાં વિદ્વવાનોનો એકમત નથી મળતો. સર્વાધીક પ્રાચીન છે. ઉપનિષદ હિન્દૂ ધર્મ ના મહત્વપૂર્ણ શ્રુ...